Pradhan Mantri Jandhan Yojana 2023 : પ્રધાનમંત્રી જનધન યોજનાનો ( પીએમજેડીવાય )પ્રારંભ 28 ઓગસ્ટ, 2014 માં થયો હતો. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે પ્રધાન મંત્રી જન ધન યોજના (PMJDY) ભારત સરકારની નાણાંકીય યોજના છે, જેનો હેતુ નાણાકીય સેવાઓ જેવીકે બેંક ખાતાઓ, ઉધાર, ચૂકવણીઓ, વીમા અને પેન્શન વગેરેને સામાન્ય લોકો માટે સરળ બનાવવાનો છે યોજનાનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ કર્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના બધા પરિવારોને બેંક સુવિધા સાથે જોડવાનો છે.
Pradhan Mantri Jandhan Yojana 2023
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જન ધન યોજના |
ખાતું કઈ રીતે ખોલાવવું | દરેક વ્યક્તિ પોતાનું ખાતું ઝીરો બેલેન્સ સાથે ખોલાવી શકે છે |
યોજનાનો હેતુ | અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારોને બેંક સુવિધા સાથે જોડવામાં આવશે. |
દુર્ધટના વીમા સહાય | રૂ.1,00,000 આપવામાં આવે છે |
પ્રધાનમંત્રી જનધન યોજના સહાય
- આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે
- દેશમાં વસવાટ કરતા દરેક જ્ઞાતિના લોકો આ યોજનનો લાભ લઈ શકે છે
- આ યોજના 2 ચરણોમાં અમલી બની છે
- આ યોજના હેઠળ દરેક વ્યક્તિ પોતાનું ખાતું ઝીરો બેલેન્સ સાથે ખોલાવી શકે છે
- સાથે સાથે ડેબિટ કાર્ડ પણ મેળવી શકે છે
- આ યોજનાનો ઉદ્દેશ દેશના બધા પરિવારોને બેંક સુવિધા સાથે જોડવાનો છે
- આ યોજના અંતર્ગત પૈસાની લેવડ દેવડ , પૈસાનું રોકાણ, દુર્ધટના વીમા સહાય અને લોન સહાય જેવી અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે
પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દરેક વ્યક્તિ પોતાનું ખાતું ઝીરો બેલેન્સ સાથે ખોલાવી શકશે. સાથે ડેબિટ કાર્ડ પણ મળસે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી આ યોજના બે ચરણમાં અમલી બની છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા અશિક્ષિત લોકો અથવા ઉમર લાયક લોકો સરળ તાથી આ યોજનામાં જોડાઇ રહ્યા છે. આ યોજના હેઠળ ઉમેદવારોને બેંક દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં પૈસાની લેવડ દેવડ, પૈસાનું રોકાણ, દુર્ઘટના વીમા સહાય અને લોન સહાય જેવી અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે.
PMJDY 2022ના આધારે 18 ઓગસ્ટ, 2014લઈને 2022 સુધી એટલે કે 8 વર્ષમા 46 કરોડથી પણ વધારે ખાતા ખોલવામાં આવ્યા છે. નાણાકીય ખાતા દ્વારા મળતી માહિતી મુજબ 1.74 લાખ કરોડ રૂપિયા જમાં છે. આ યોજનાની સહાય તાથી 67% ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકો બેન્કિંગ સુવિધા સાથે જોડાઇ રહ્યા છે
પ્રધાન મંત્રી જન ધન યોજના માહિતી
- 2021 સુધીમાં 24.61 કરોડ મહિલાઓ આ પ્રધાનમંત્રી જનધન યોજનામાં જોડાઈ છે.
- પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ઉમેદવાર ને રૂ.1,00,000 દુર્ઘટના વિમા સહાય આપવામાં આવશે.
- આ યોજનાનો લાભ મેળવતા અરજદારની ઉંમર 18 વર્ષ થી 59 વર્ષ સુધીની હોવી જોઈએ.
- હવે ઉમેદવારો પોતાના રહેઠાણથી નજીક ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ મળતી વિભિન્ન પ્રકારની સબસિડી ઉમેદવારોના સીધા જનધન ખાતામાં જમા કરવામાં આવશે.
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ઉમેદવારોને સહાય:
- પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ઉમેદવારોને 1,00,000 દુર્ધટના વિમાં સહાય આપવામાં આવશે
- 26 જાન્યુઆરી 2015 મા ખાતું ખોલાવનારો ને 30, 000સુધીની વધારાની વીમા સહાય આપવામાં આવશે
- જનધન ખાતું ખોલાવ્યા બાદ 6 મહીને રૂ.50, 000ની ઓવડ્રાફ્ટ ની સુવિધા પણ મેળવી શકે છે
- આ યોજનાનો નારો ‘My Account Fortune Teller’ એટલે કે “મેરા ખાતા ભાગ્ય વિધાતા ”ચલાવવામાં આવશે
- કેન્દ્ર સરકાર દ્વારા મળતી માહિતી મુજબ 29 ડિસેમ્બર 2021 સુધીમાં 24.61 કરોડ મહિલાઓએ આ યોજનામાં જોડાઇ
- બીજા ચરણમાં પેન્શન માઈક્રો ઇન્શોરન્સની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. આ અંતર્ગત હવે ખાતેદારને લોન સહાય અને પેન્શન સહાય આપવામાં આવશે.
ખાતું ખોલાવવા માટે ડોક્યુમેન્ટ
ઉમેદવારે ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, મનરેગા કાર્ડ, મતદાન ઓળખ કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વીજળી કે ટેલિફોનનું બીલ, જન્મ-વિવાહ પ્રમાણપત્ર અથવા કોઈ સંસ્થાનું પ્રમાણપત્રમાંથી કોઈપણ એક પુરાવો હોવો જોઈએ. કોઈપણ ઓળખપત્ર ના હોય તો ખાતું ખોલાવ્યા પછી એક વર્ષમાં ઓળખપત્ર બેંકમાં જમા કરાવવાની શરતે ખાતું ખોલાવી શકે છે.
Indian Navy Recruitment 2023 : ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર ભરતીની જાહેરાત
ONGC Bharti 2023 : ONGC સુરતમાં 35 જગ્યાઓ પર ભરતી જાહેર
NHB Recruitment 2023 : નેશનલ હાઉસિંગ બેંકમાં સીધી ભરતી ની જાહેરાત
HSC Science Result 2023 : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
મહત્વપૂર્ણ લીંક
ઓફિશ્યલ વેબસાઈટ લીંક | અહી ક્લીક કરો |
3 thoughts on “Pradhan Mantri Jandhan Yojana 2023 : પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ મેળવો”